મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

કોરોના સમયે સારવારથી લઈને સ્મશાન સુધી લાઈનોના દિવસોને લોકો ભૂલ્યા નથી ને નફટ લોકો જન આશીર્વાદ લેવા નીકળ્યા !:  લલીતભાઈ કગથરા 


SHARE















કોરોના સમયે સારવારથી લઈને સ્મશાન સુધી લાઈનોના દિવસોને લોકો ભૂલ્યા નથી ને નફટ લોકો જન આશીર્વાદ લેવા નીકળ્યા !:  લલીતભાઈ કગથરા 

મોરબી સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી  બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસના આગેવાનો દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કોરોના કાળ દરમ્યાન કોરોનાના લીધે અવસાન પામેલા વ્યક્તિના પરિવારજનોને ચાર લાખની સરકારી સહાય મળેકોરોનાની સારવાર લેનારા લોકોને તેના બિલની રકમ મળે અને કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનને સરકારી નોકરી મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને જીલ્લામાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને સફળ બનાવવા માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા કોંગ્રેસીઓને આહ્વાન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ જે. પટેલ, ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદાજિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા નયનભાઇ આઘારા સહિતના આગેવાનોની હાજરી મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે યોજાઇ હતી જેમાં આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા કાર્યક્રમ મુજબ ન્યાય યાત્રા યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રાની દરમિયાન જે લોકોના કોરોના દરમિયાન કોરોનાની સારવારમાં મોત થયા છે તેના પરિવારની મુલાકાત કરવામાં આવશે અને ત્યારબાદ તેનો સાંત્વન આપવામાં આવશે અને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ચાર લાખની સહાય, કોરોનાની સારવાર લેનારા લોકોને તેના બિલની રકમ મળે અને કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનને સરકારી નોકરી મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે

આ તકે ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર સમયે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાઈનો, ઑક્સીજનની બોટલ માટે લાઈનો, ઈંજેકશન માટે લાઈનો અને છેલ્લે સ્મશાનમાં પણ લાઈનોમાં ઊભા રાખ્યા હતા તે દિવસોને લોકો ભૂલ્યા નથી તો પણ આ નફટ લોકો હાલમાં જન આશીર્વાદ લેવા માટે નીકળ્યા છે આવા સમયે કોંગ્રેસનાં આગેવાનોએ એકની સામે દાસની જેમ કામ કરીને લોકોની સમક્ષ જવાનું છે અને લોકોને જે વેદના હતી તે સાંભળવાની છે તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર કોરોનાની સારવાર દરમિયાન લગભગ પાંચ હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે જો કે, સરકારી તંત્ર દ્વારા મોતના સાચા આંકડા આપવામાં આવતા નથી તે હક્કિત છે ત્યારે જે લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા હતા તે તમામ પરિવારોને કોંગ્રેસના હોડેદરોઆગેવાનો અને કાર્યકરો મળવા માટે જશે અને તે લોકોને સરકારી સહાય આપવામાં આવે તેના માટેના પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે

વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદાએ જણાવ્યું હતું કે છેલ્લે કોરોનાની બીજી લહેરમાં મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ઘણા બધા લોકો કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામે છે જોકે કોરોનામાં મૃત્યુ પામેલા લોકો નો સાચો આંકડો સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ જે લોકોની કોરોનાની સારવાર ચાલુ હતી અને તે લોકોના મૃત્યુ થયા છે તેને સરકારી સહાય મળે તેના માટે કોંગ્રેસ કામ કરશે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ પોતાની પૂરી તાકાત સાથે ન્યાય યાત્રામાં જોડાય અને ગામડે ગામડે જઈને લોકોની સાથે મુલાકાત કરી લોકોએ જે ભૂતકાળમાં દિવસો જોયા હતા અને જે રીતે પોતાના પરિવારજનોને સરવારના અભાવે મારતા જોયા હતા તેની વેદના સાંભળવાની છે અને તેને સમજવાની છે અને બાદમાં તે લોકોને કોંગ્રેસ તેની સાથે છે તે વિશ્વાસ આપવાનો છે માટે કોંગ્રેસના પાયાના પથ્થરથી લઇને જિલ્લાના આગેવાનો સુધી તમામ લોકો એક સાથે પોતાના પૂરા પ્રયત્નો કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ બેઠકમાં ધર્મેન્દ્રભાઈ એરવડીયા, હરદેવસિંહ જાડેજા, રાજુભાઇ કાવર, કાંતિભાઈ બાવરવા, કાંતિભાઈ પડસુંબિયા, દેવજીભાઇ પરેચા, મહેન્દ્ર્સિંહ ઝાલા, મહેશભાઇ રાજ્યગુરુ, દીપકભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા 






Latest News