મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી


SHARE













વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી

રાજકોટ ડિવિઝન દ્વારા 16મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે આ પખવાડિયા દરમિયાન તેમના પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે, પખવાડિયાના દસમા દિવસને 'સ્વચ્છ નીર દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ, પાણીની ટાંકીઓ, ફિલ્ટર પ્લાન્ટ, પાણી પુરવઠા સાથેના વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ અને સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. સ્ટેશન પરના કેટરિંગ સ્ટોલ પર વેચાણ માટે ઉપલબ્ધ પાણીની કલોરીનની માત્રા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક સ્ટેશનો પર આધુનિક મશીનો દ્વારા હાઈડ્રેન્ટ ની સફાઈ કરવામાં આવી હતી. આ સાથે સફાઈ કામદારોને હાઈડ્રેન્ટ પાઈપોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને તેની જાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર વગેરે સ્ટેશનો પર પ્લેટફોર્મ વોટર સ્ટેન્ડ અને વોટર કુલરમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને ક્લોરીન ની માત્ર ચકાસવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝન તેના મુસાફરોને સ્વચ્છ અને પીવાલાયક પાણી આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.








Latest News