મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સગાઈના પ્રસંગ માટે એકત્રિત થયેલા પરિવારોએ યુવક-યુવતીના કરી આપ્યા ઘડિયા લગ્ન


SHARE













ટંકારાના નેકનામ ગામે સગાઈના પ્રસંગ માટે એકત્રિત થયેલા પરિવારોએ યુવક-યુવતીના કરી આપ્યા ઘડિયા લગ્ન

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે ત્યારે સગાઈના પ્રસંગ માટે પરિવારના સભ્યો એકઠા થયા હતા અને ત્યાં વધુ એક ઘડિયા લગ્ન ટંકારા તાલુકાનાં નેકનામ ગામે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકર અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે સ્વ.લાલજીભાઈ અવચરભાઈ ચીકાણીના દીકરા કેવલની હમીરપર ગામે રહેતા મોતીલાલ હરખાભાઈ ઠોરીયાની દીકરી મીરલની સાથે સગાઈના પ્રસંગ માટે પરિવારના સભ્યો સહિતના લોકો એકઠા થયા હતા ત્યારે કોંગ્રેસનાં ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ પ્રવિણભાઈ કાસુન્દ્રાં સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં ઘડિયા લગ્ન કરવામાં આવેલ છે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવી કામગીરી કરવા માટે  લલીતભાઈ કગથરાએ ચીકાણી તથા ઠોરીયા પરીવારના મોભીઓને અભિનંદન આપ્યા હતા અને વાર કન્યાને આશીર્વાદ આપ્યા હતા








Latest News