મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત


SHARE











માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત

માળીયા તાલુકાનાં પિપળીયા ચાર રસ્તાથી સરવડ ગામ વચ્ચે આવેલા કારખાનામાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી કરીને તેમાથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે જે લોકોને તેમજ ખેતીના પાકને નુકશાની કરે છે જેથી કરીને આ કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ સરદારનગર આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આ મુદે માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

માળીયા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રહેતા કૌશિકકુમાર એસ. લોદરીયાએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને વાતાવરણ પ્રદુષણ કરતી ફેકટરીનો પ્લાન્ટમાં ફે૨ફાર કરાવવા અથવા સંપુર્ણ સીલ કરવાની માંગ કરેલ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, માળીયા-જામનગ૨ હાઈવેની મધ્યમાં પિપળીયા ચાર રસ્તા અને સરવડ ગામનું લોકેશન આવે છે ત્યાં બોસ રબ્બર નામની ફેકટરી આવેલી છે જેમાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે માટે વાહન ચાલકો સહિતનાને ગુંગળામણનો અનુભવ થાય છે પરંતુ કાયમી વસવાટ કરતાં લોકોને ભારે મુશકેલીનો સામનો કરવા પડી રહ્યો છે જેમાં પિપળીયા, સરવડ, ચાંચાવદરડા, તરઘરી, મહેન્દ્રગઢ, મોટાભેલા વગેરે ગામડાઓ આવે છે તે લોકોની હાલત શું થતી હશે તે પ્રશ્ન છે આ ધુમાડાથી શ્વાસોશ્વાસની ક્રિયા વખતે ગુંગળામણ અનુભવતા હોય છે અને બિમાર લોકો, પ્રેગનન્ટ મહીલાઓ, બાળકો સહિતના લોકોને હેરાન થવું પડે છે ત્યારે પીપળીયા ગામે કારખાનાની નજીકમાં જ આઈ.ટી.આઈ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યા અભ્યાસ અર્થે આવતા બાળકોની શુ હાલત થતી હશે ? ખેડૂતોના ખેતીના પાકને કેટલું નુકશાન થતું હશે ? આવા અનેક સવાલો છે ત્યારે સતત પ્રદૂષણ ઓકતા કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News