મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ


SHARE













ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા વાછકપર ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાલીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોય પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો મજુર પરિવાર ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હોય અને અહીં બાજુમાં આવેલા કોઠારીયા ગામની સીમમાં રહેતો અને મૂળ દાહોદ પંથકનો રાજુ વીરસિંગ મુંદવાડા નામનો ઇસમ એમપીના મજુર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુ વીરસિંગ મુંદવાડા નામના શખ્સની સામે અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

આરોપી પકડાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને ધમકીના ગુનાનો આરોપી અમિત જયંતિ ઠાકોર રહે.બાવળા તાલુકો વિરમગામ હાલ રહે.મોરબી ખત્રીવાડ વાળો મોરબી હોવાની બાતમી મળી હતી જેથી કરીને વિરમગામ પોલીસ દ્વારા મોરબી આવીને મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી અમિત જયંતિ ઠાકોર નામના ઇસમની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતો લલિત અરજણભાઈ ચૌહાણ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રાજપર રોડ ઉપરથી જતો હતો ત્યારે સતનામ જીનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં તેને હાલ રાજકોટ ખાતેથી અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.








Latest News