ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ
Breaking news
Morbi Today

ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા


SHARE













ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા

ટંકારાના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઊભી કરવામાં આવી  છે જો કે, સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું તેવો ધાટ સર્જાયો છે.

ટંકારામાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા બંધ થઈ જશે તેવી દર્દીઓને આશા હતી જો કે, આ ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કેમ કે, અહિયાં પાણી, લાઈટ અને કીટ જ ન હોવાથી ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી સ્થિતિ છે અને કિડનીના દર્દીઓને હેરાન થવું પડે છે ત્યારે આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલે જણાવ્યુ હતું કે, પાણીનો ટાંકો ભરાઈએ માટે અવ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહ્યો નથી જેથી થોડા દિવસોમાં પરિસ્થિતી થાળે પડી જશે અને ટંકારા સિવિલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉપરી અધિકારીએ જગ્યા આપવા કહ્યું હતું જે આદેશનું પાલન કર્યું છે ત્યાર આવી બેજવાદરી કોઇની માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે 








Latest News