તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા


SHARE















વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાનાં અરણીટીબા ગામનાં ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી.

તાલુકાના અરણીટીબા ગામનાં 5 થી 7 જેટલા ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોવાનાં આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં, અને ફરિયાદ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી, અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પાંચ હજાર જેટલા ખેડૂતો ઉમટી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, આ ગામના ખેડૂતો પર માલિકીનાં ખરા (જમીન) બાબતે ગામનાં જ અમુક લોકો દ્વારા આ રીતે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં, અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર રાગ દ્વેષ રાખી આ ફરિયાદ દાખલ કરી દેવાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં, અને યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવતાં ગરમાવો ફેલાવા પામ્યો હતો.




Latest News