મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ


SHARE













૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ

ટંકારા કન્યા પ્રાથમિક શાળામાં ચાલી રહેલ યોગ વર્ગની મુલાકતે મહિલા પતંજલી રાજ્ય પ્રભારી તનુજા આર્યજી (પતંજલિ યોગ સમિતિ ગુજરાત, દક્ષિણ) આવ્યા હતા અને.આગામી તા.૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિરનું આમંત્રણ પાઠવ્યુ હતુ.આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લીધેલ યોગ ટ્રેનેરો તથા યોગ સાધકો અને યોગપ્રેમીઓ જોડાઇ તેવી અપીલ તેઓએ કરી હતી.આ શિબિર અંતર્ગત તનુજા આર્ય દ્વારા લોકોને યોગ જીવનમાં કેટલો જરૂરી છે.આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ શા માટે કરવાં જોઈએ, યોગના ફાયદા, યોગ રોગથી ઉપર ઉઠીને પરમાત્માને પામવા માટેનો રસ્તો છે વિગેરે બાબતો વિશે લોકોને સચોટ જ્ઞાન આપેલ અને ભારતને રોગ મુકત તથા ફરી વિશ્વગુરુ બનાવવામાં સૌને યોગદાન આપવા આહવાન કર્યુ હતુ. ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજીના સ્વાબ્દિક યોગથી લોકોમાં નવી ઉર્જાના સ્ત્રોત ઉભરાયો અને લોકો રોજ યોગ કરશે અને કરાવશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.તનુજાબેન આર્યના સાનિધ્યમાં પતંજલિ મહિલા ટંકારા તહસિલના કાર્યકર્તા તરીકે પદ આપીને બહેનોને યોગકાર્યને આગળ વેગ આપવા માટે પદનિયુક્તિ કરવામાં આવેલ જેમા ટંકારા તાલુકાના પ્રભારી યોગ કોચ તરીકે કંચન સારેસાની, મહામંત્રી પદે ડિમ્પલ સારસા અને ફાલ્ગુની વાઘેલાની, સંગઠન મંત્રી તરીકે જિન્નતબેન સમા અને કોષાધ્યક્ષ પદે મનાલી પરમારની વરણીઓ કરવામાં આવી હતી.








Latest News