મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા


SHARE













ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે છરી, ધોકા વડે સામ સામે મારામારી કરવામાં આવી હતી જેથી મહિલા સહિત કુલ મળીને સાત જેટલા લોકોને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૦) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, સુનિલભાઈ રાજુભાઈ ઉઘરેજા અને સંજય રાજુભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાજુભાઈને રિક્ષા સાઈડમાં ચલાવવા માટે થઈને તેમણે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને રાજુભાઈએ ફરિયાદી મેરૂભાઈ તથા તેના પિતાને ગાળો આપી હતી અને તેના પિતાને હાથમાં ધોકો મારીને ફેકચર જેવી ઇજા કરી હતી તો સુનિલભાઈએ ફરિયાદી મેરૂભાઈને ડાબા હાથની બગલ પાસે અને અંગૂઠામાં છરી વડે ઇજા કરી હતી તેમજ સાહેદ યુનુસભાઈને ડાબા પગના ભાગે છરી મારીને ઇજા કરેલ છે અને સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજાએ ફરિયાદી મેરૂભાઈ તથા ગીતાબેનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેઓને ઈજા થયેલ હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મેરૂભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

તો સામા પક્ષેથી વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૩) એ મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા, બચુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા અને ગીતાબેન મેરૂભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજાએ લાકડાના ધોકા વડે તેને માથાના ભાગે માર મારીને ઇજા કરીએ હતી તેમજ મેરૂભાઈ અને બચુભાઈએ ફરિયાદી તથા અન્ય સાહેદોને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને પોલીસે સંજય ઉઘરેજાની ફરિયાદ લઈને મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News