મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE













ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં આવીને યુવાને આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ (૪૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ વિનોદભાઈ આલજીભાઈ પંચાલ તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા આઈ.ટી. જામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી હતી જેથી તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

પરિણિતા સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વીસીપરા ખાડા વિસ્તારમાં રહેતા લતાબેન ગૌતમભાઈ ચૌહાણ (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કાજલબેન અરવિંદભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિએ માર મારતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી બનાવવા અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.








Latest News