માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર યુનિટમાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર યુનિટમાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી ગયેલ મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી જવાથી લાલજીભાઈ દશરથભાઈ સરોજ નામના ૩૫ વર્ષના યુવાનનું મોત નિપજતા ડેડબોડી પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યુ હતું જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલચરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવાનું મોત

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનનું મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મકાન માલિક જયદીપભાઇ ભીખુભાઈ કોટક નામના યુવાને પોલીસ મથકે આવીને જાણ કરી હતી કે તેઓના મકાનમાં ઉપરના માળે ભાડે રહેતા ભરતભાઈ જગદીશભાઈ નિમાવત (ઉમર ૪૫) છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરની બહાર નીકળ્યા ન હોય અને તેઓ એકલવાયુ જીવન જીવતા હોય માટે પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ઉપર જઈ મકાન ખોલીને જોતા ત્યાં બીમારી સબબ ભરતભાઈ જગદીશભાઈ નિમાવત નામના ૪૫ વર્ષીય યુવાનનું મોત નિપજયુ હોવાનું સામો આવ્યુ હતુ.વધુમાં મળતી માહિતી મુજબ તેઓની માનસિક બીમારી દવા પણ ચાલુ હતી હાલ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ટ્રેક્ટર પલ્ટી મારી જતા ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર જોધપર નદી ગામે રહેતા નવીનભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના ૫૨ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે ગામની અંદર ટ્રેક્ટર ખાલી કરતા સમયે ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું અને તે બનાવમાં નવીનભાઈ ઝીંઝુવાડીયા ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવારમાં ખસેડાયા હતા.






Latest News