મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ ઘરે ઘરે જઈને સિનિયર સિટીજનોને આપશે સાયબર ક્રાઇમની સમજણ


SHARE















મોરબી જિલ્લામાં પોલીસ ઘરે ઘરે જઈને સિનિયર સિટીજનોને આપશે સાયબર ક્રાઇમની સમજણ

સમગ્ર રાજ્યમાં સિનિયર સિટીજનોની સુરક્ષા માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે એકલા રહેતા વૃદ્ધો સહિત તમામ સિનિયર સિટીજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે મોરબી જીલ્લામાં પણ આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, સિનિયર સિટીજનોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે આ ટિમોએ વૃદ્ધોને કેવી રીતે સમજણ આપવી તેની માહિતી અને માગદર્શન આપવા માટે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો જેમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી ગોસ્વામી સહિતના અધિકારીઓ અને સી ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કેસિનિયર સિટીજનોને અમુક ઠગ ટોળકી કોલ કરી અથવા મેસેજમાં ઓટીપી માંગીને ગુના આચરતી હોય છે. જેથી આવા બનાવોને રોકવા માટે મોરબી જિલ્લાના તમામ વૃદ્ધોના ઘરે જઈ તેમને સાયબર ક્રાઇમ અંગેની માહિતી અને સમજણ આપવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ૬૦૦ જેટલા વૃદ્ધો પોર્ટલ ઉપર નોંધાયા છે. અને ન નોંધાયેલા સિનિયર સીટીઝનને પણ સી ટીમ દ્વારા સાઇબર ક્રાઇમની માહિતી આપવામાં આવશે






Latest News