મોરબીમાં કોંગ્રેસ દ્વારા શનિવારે ડો.હેમાંગ વસાવડાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન
ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો
SHARE
ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો
ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો ટંકારા તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં સ્થાનિક લોકોના પશ્ર્નો, આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર કરવામાં આવી હતી અને જે પ્રશ્નો આવ્યા હતા તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભા સત્ર પુરું થયા બાદ ટંકારા પડધરીના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાએ લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે અને ગામડાના વિકાસ કામોને વેગ આપવા માટે ટંકારા તાલુકા પંચાયત ખાતે લોકદરબારનું આયોજન કર્યું હતું જેમાં પાણી, રસ્તા, આરોગ્ય, જમીનની ફાળવણી, સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી, બસ સ્ટેશન, સુજલામ સુફલામ યોજના સહિતના પ્રશ્નો અને રજૂઆત આવી હતી જેથી આકરીને લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરીને યોગ્ય પગલા લેવા ધારાસભ્યએ સુચના આપી હતી. ત્યારે ટંકારાના જુદાજુદા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઇ વાધરીયા, રશિકભાઈ પટેલ, ભવાનભાઈ ભાગિયા, હરેશભાઈ ધોડાસરા, પ્રભુભાઈ કામરીયા, મુકેશભાઈ લો, જીતુભાઇ ખોખાણી, નિલેશભાઈ પટણી, રાજ દૈત્રોજા સહિતના કાર્યક્રરો હાજર રહ્યા હતા.









