રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા
SHARE
રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે તેવી ફરિયાદ કરી હતી ત્યાર ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા મરચા અને મસાલાના એક કે બે નહીં પરંતુ ૧૬ જેટલા વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે ત્યારે આખી સિઝન પૂરી થવા આવી ત્યારે રહી રહીને ફૂડ વિભાગની ટીમે બહાદુરીનું કામ કર્યું હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે
મોરબીમા ઠેકઠેકાણે તંબુતાણીને મરચા દળવાની પ્રક્રિયા ચાલે છે જો કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર મેળવવામાં આવે છે તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવામાં આવેલ તેવી ફરિયાદ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ થોડા સમય પહેલા કરી હતી ત્યાર બાદ ગુરુવારે મોરબીના ફુડ સેફ્ટી ઓફીસરો એમ.એમ. છત્રોલા અને સી.કે. નીમાવત દ્વારા મસાલા માર્કેટમાં જઈને મરચુ, ધણાજીરૂ અને હળદરના એક કે બે નહીં પરંતુ ૧૬ વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે
હાલમાં જે વેપારી પાસેથી સેમ્પલ લેવામાં આવેલ છે તેમાં મહારાણા પ્રતાપ ચોક, કડીયા બોર્ડીંગ પાસે જલારામ મસાલા ભંડાર, મહેન્દ્રનગર ચોકડીએ ઝરમર મરચા એન્ડ ફ્લોર મીલ, કાનાભાઈ દાબેલીની બાજુના વંડામાં વિકાસ મસાલા, જય ખેતલીયા મસાલા, આકાશ મસાલા, ક્રિષ્ના મસાલા, કિંગ મસાલા, રવાપર ચોકડીએ શિવ શકિત મસાલા હાઉસ, ઉમીયા સર્કલે ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં રાજકોટ મસાલા માર્કેટ, શનાળા નજીક ફેમસ મરચા સેન્ટર, ખોડલ મસાલા ભંડાર, માફક મસાલા, ઝમઝમ મસાલા, માહિરા મરચા સેન્ટર, જય મલાર મરચા સેન્ટર, ખોડીયાર કૃપા મરચા સેન્ટર અને ન્યુ ગોંડલ મસાલા ભંડાર વિગેરે સ્થળેથી સેમ્પલ લેવામાં આવેલ છે અને વેપારીઓને સ્થળ ઉપર ચોખાઈ રાખવા માટે સૂચના આપવામાં આવી છે









