મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે


SHARE







ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે

ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે જેમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આ સંમેલનમાં પંચાંગોનું એકીકરણ કેમ કરવું તેની માહિતી આપશે.

કાશી વારાણસીના જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય, સહિત્યાચાર્ય, એમ.એ સંસ્કૃત જેમને જ્યોતિષ વિષય સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે અને મોરબીમાં રહેતા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે તેમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં તેઓ હાજર રહેવાના છે અને તેઓ પંચાંગોનું એકીકરણ કેવી રીતના કરવું જેની વાત કરશે. અત્રે ઉલેખનીય છે કે, શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને હાલમાં જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે ન માત્ર મોરબી પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે અને તેઓ આ સંમેલ્ન્મ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે આ સંમેલનમાં ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના કુલપતિ વિજયકુમાર, મહામંડલેશ્વર મદન વ્યાશજી (ઉજ્જૈન), ડો,અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજ ત્રિવેદી (લખનઉ) વિગેરે ભારત વર્ષના ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષીઓ હાજર રહેશે






Latest News