મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે


SHARE













ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે

ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે જેમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આ સંમેલનમાં પંચાંગોનું એકીકરણ કેમ કરવું તેની માહિતી આપશે.

કાશી વારાણસીના જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય, સહિત્યાચાર્ય, એમ.એ સંસ્કૃત જેમને જ્યોતિષ વિષય સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે અને મોરબીમાં રહેતા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે તેમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં તેઓ હાજર રહેવાના છે અને તેઓ પંચાંગોનું એકીકરણ કેવી રીતના કરવું જેની વાત કરશે. અત્રે ઉલેખનીય છે કે, શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને હાલમાં જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે ન માત્ર મોરબી પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે અને તેઓ આ સંમેલ્ન્મ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે આ સંમેલનમાં ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના કુલપતિ વિજયકુમાર, મહામંડલેશ્વર મદન વ્યાશજી (ઉજ્જૈન), ડો,અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજ ત્રિવેદી (લખનઉ) વિગેરે ભારત વર્ષના ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષીઓ હાજર રહેશે






Latest News