ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે
મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં
SHARE
મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં
રાજ્યમાંથી મોરબી જીલ્લામાં ગત ત્રીજી એપ્રિલે શિક્ષકોના પગાર માટેની ગ્રાન્ટ આવી ગઈ છે જો કે, આજની તારીખે મોરબી જિલ્લામાં શિક્ષકોને પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે
મોરબી જિલ્લામાં રાજ્યમાંથી ત્રણ એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગયેલ છે તો પણ શિક્ષકોનો પગાર આપવામાં આવ્યો નથી જેથી કરીને શિક્ષકોએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકતા ન હોય વ્યાજ પેનલ્ટી લાગે છે તેમજ જીપીએફ, સીપીએફ કપાત દર મહિનાની દશ તારીખ પહેલા જમા ન થવાના કારણે જે તે માસનું વ્યાજ પણ શિક્ષકોને મળતું નથી અને વળી માર્ચ માસનો મોટા ભાગનો પગાર ઇન્કમટેક્ષ કપાત થયેલ હોય એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો રોષે ભરાયા છે
મોરબી જિલ્લા પંચાયતમાં તપાસ કરતા જણાવાયું હતું કે, એકાઉન્ટ ઓફિસર રજા પર છે તેવું ચર્ચાઇ રહ્યું છે અને તેના કારણે શિક્ષકો પણ સરકારના અનેક ખાતાની એકી સાથે અનેકવિધ ૧૨૦ જેટલી કામગીરી કરે છે તો દર માસે મોરબી જિલ્લાના શિક્ષકોનો પગાર મોડો કરીને શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે? પગાર કરવા માટે અગાઉથી શા માટે આયોજન કરવામાં નથી આવતું? જ્યારે પગાર જમા કરવાનો હોય ત્યારે જ અધિકારીને અન્ય કામ આવી જાય છે?કે પગાર કરવા સમયે જ અધિકારીને રજા પર જવું પડે છે ? આવા પ્રશ્નો શિક્ષકો કરી રહ્યા છે.