મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ


SHARE













ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની સ્થાનિક પોલીસને લોકોએ જાણ કરી હતી જેથી મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ ઉપર પહોચ્યો હતો અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને ભાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે  

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી કરીને ત્યાં દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ આ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ટંકારા મામલતદાર કેતન સખિયાની હાજરીમાં મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢી હતી અને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જાણવામાં આવેલ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણ જનારની હત્યા કરી તેના જાણીતાઓ દ્વારા જ તેની લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોય શકે છે અને જનાવરને તેની ગંધ આવતા તેને લાશને બહાર કાઢીને ફાડી ખાધી છે જો કે, ટંકારા પોલીસ દ્વારા હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને પુરૂષની લાશને જમીનમાં કોણે દાટી હતી અને ક્યા કારણેસર કોઈને જાણ કર્યા વગર લાશને દાટવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે








Latest News