મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ


SHARE







ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની સ્થાનિક પોલીસને લોકોએ જાણ કરી હતી જેથી મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ ઉપર પહોચ્યો હતો અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને ભાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે  

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી કરીને ત્યાં દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ આ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ટંકારા મામલતદાર કેતન સખિયાની હાજરીમાં મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢી હતી અને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જાણવામાં આવેલ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણ જનારની હત્યા કરી તેના જાણીતાઓ દ્વારા જ તેની લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોય શકે છે અને જનાવરને તેની ગંધ આવતા તેને લાશને બહાર કાઢીને ફાડી ખાધી છે જો કે, ટંકારા પોલીસ દ્વારા હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને પુરૂષની લાશને જમીનમાં કોણે દાટી હતી અને ક્યા કારણેસર કોઈને જાણ કર્યા વગર લાશને દાટવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News