મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો


SHARE













ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જેમાં મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦) એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ધાર વાડી તરીકે ઓળખાય છે તે વાડીએ કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ સ્થાનિક લોકોએ ટંકારા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસે અને મામલતદાર ત્યાં આવ્યા હતા અને મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢીને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતી દરમ્યાન મૃતક વ્યક્તિને માથામાં કોઈ ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું હાલમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે અમે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.






Latest News