મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

સબંધોની હત્યા!: લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ બીજાને આપી દેતા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધૂ


SHARE













સબંધોની હત્યા!: લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ બીજાને આપી દેતા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધૂ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા વાઘગઢ ગામે હત્યા કરીને જમીનમાં દાટી દેવામાં આવેલ આધેડની લાશ મળી હતી જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનાનો ભેદ ઉકેલાતા એવું ચોકાવનારું કારણ સામે આવ્યું છે કે, દીકરાએ પોતાના લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ અન્ય વ્યક્તિને આપી દીધા હતા જેથી કરીને દીકરાએ તેના પિતાને માથામાં કુહાડીનો ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી

મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં ઘણા સમાજ માટે લાલબતી સમાન કહી શકાય તેવા બનાવો સામે આવ્યા છે તેની સહી હજુ સુકાઈ નથી ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દાટી દેવામાં આવેલ પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (62) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ છે

ટંકારના વાઘગઢ ગામે જે હત્યા કરવામાં આવી તેમાં પકડાયેલા આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે જેમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી પપ્પુ તેના લગ્ન માટે રૂપિયા જમા કરતો હતો તે રૂપિયા તેના પિતા હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાએ બીજાને આપી દીધા હતા જે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી ત્યારે આરોપીને તેના પિતાના લાકડી વડે માર માર્યો હતો જેથી ઉશ્કેરાટમાં આવીને તેના પિતાને માથામાં કુહાડીનો એક ઘા મારી દીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને કોઈને ખબર ન પડે તે માટે તેને પોતાના પિતાની લાશને ખાડો ખોદીને વાડીની બાજુમાં આવેલ વોંકળામાં દાટી દીધી હતી જો કે, જનાવરે મૃત વ્યક્તિના શરીરને બહાર કાઢીને ફાડી ખાતા હત્યાનો મામલો સામે આવ્યો હતો

રૂપિયાના લીધે ઘણા પરિવારો બરબાદ થયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આ કિસ્સામાં પણ દીકરાએ લગ્ન માટે એકત્રિત કરેલા રૂપિયા તેના પિતાએ બીજાને આપી દીધા હાટ જે બાબતનો ખાર રાખીને તેના પિતાની યુવાને રૂપિયાના ઝઘડામાં હત્યા કરી નાખેલ છે જેથી કરીને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને ઘરના મોભીની હત્યા થઈ ગયેલ હોવાથી આ પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો છે






Latest News