મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે


SHARE















મોરબી પરશુરામ દાદાની જન્મ જયંતીની પૂર્વે રાસ ગરબા યોજાયા: સાંજએ ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, કમલભાઈ દવે, ધ્વનિતભાઈ તેમજ પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, પાલિકાના માજી સભ્ય પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ કપિલભાઈ દવે, અમિતભાઈ પંડ્યા, તેમજ પત્રકાર અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી સહિતના હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિતે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારોને સહપરિવાર જોડાવા માટે આગેવાનોએ આહ્વાન કર્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી આ વખતે પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે ભગવાનપરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે વાઘપરા- ૧૪ માં આવેલા ગાયત્રી મંદિર ખાતેથી શરૂ કરવામાં આવશે અને નવલખી રોડ પર આવેલ ભગવાન પરશુરામના મંદિર પરશુરામ ધામ ખાતે પૂરી કરવામાં આવશે ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે તેવી પ્રમુખ રોહિતભાઈ પંડયાએ જણાવ્યુ છે






Latest News