મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી


SHARE













વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેર શહેરમાં દુકાન પચાવી પડી હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને દુકાનના મલીકને ગાળો આપીને ધમકી આપી હતી જે કેસમાં આરોપી જલાલભાઈ વલીભાઈ પરાસરાઆગોતરા જામીન અરજી કરી હતી જો કે, ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે

વાંકાનેરમાં ફરીયાદી રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની વાકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નંબર ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વા. ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લીધો હતો અને વપરાશ કરતા હતા જેથી કરીને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોંપી આપવા જણાવતા ફરીયાદીને ગાળો બોલી મારવા દોડી એક બીજાને ગુન્હામાં મદદગારી કરેલ હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વીરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૪(૩),૫(સી) મુજબ તથા ઈ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેશના મુખ્ય આરોપીએ આગોતરા જામીન પર મુકત જવા કોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે ફરીયાદીના વકીલ દીલીપ અગેચાણીયાઆગોતરા જામીન અરજી રદ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા આ કામે બન્ને પક્ષકારો ત૨ફેની દલીલ સાંભળી ફરીયાદી તરફના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.

 




Latest News