મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ


SHARE













વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ

(કેતન ભટ્ટી દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ શહેરનાં મુખ્ય આકર્ષણ રૂપ એવા માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ૭૧ કિલોનો લાડુ ધરવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

વાંકાનેર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરાનાં જણાવ્યા મુજબ વાંકાનેર ટાઉન હોલ ખાતે પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ ની રાત્રે ૭૧ કિ.ગ્રા નો લાડુ ધરવામાં આવશે અને શહેરનાં તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે તે માટે આજરોજ રાત્રે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો એક સાથે વિઘ્નહર્તા ગણેશની સામૂહિક આરતી કરશે, માર્કેટ ચોક કા રાજા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આજરોજ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે શહેરનાં તમામ વોર્ડમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




Latest News