મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ


SHARE











વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ

(કેતન ભટ્ટી દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ શહેરનાં મુખ્ય આકર્ષણ રૂપ એવા માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ૭૧ કિલોનો લાડુ ધરવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

વાંકાનેર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરાનાં જણાવ્યા મુજબ વાંકાનેર ટાઉન હોલ ખાતે પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ ની રાત્રે ૭૧ કિ.ગ્રા નો લાડુ ધરવામાં આવશે અને શહેરનાં તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે તે માટે આજરોજ રાત્રે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો એક સાથે વિઘ્નહર્તા ગણેશની સામૂહિક આરતી કરશે, માર્કેટ ચોક કા રાજા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આજરોજ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે શહેરનાં તમામ વોર્ડમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.






Latest News