માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત


SHARE













વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરકારી ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ને ફાળવેલ છે જે જમીન  જમીન અંગે હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે ખરીદી કરવા મંજૂરી માંગેલ છે જો કે, તે ટ્રસ્ટને ન આપવા માટેની રજૂઆત જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવી છે. 

હાલમાં વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ના સભ્યો રાજનભાઈ ચોથાભાઈ, જગદીશસિંહ ઝાલા અને કાંતિભાઈ છગનભાઇ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની જમીન વાંકાનરે તાલુકાના ચંદ્રપુર ગામે ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકી કરોડો રૂપિયાની કીમતી જમીન આવેલ છે તે લેવા માટેની હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે મંજૂરી માંગેલ છે જો કે, આ જમીન ખુબજ કીમતી છે માટે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો આ સભ્યો દ્વારા આ જમીન પાણીના ભાવે ન આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ જમીનની બજાર કિમત આશરે ૧ વીઘાના દોઢ કરોડ કરતાં પણ વાધારે છે ત્યારે આ જમીન કોઈ ટ્રસ્ટને સાવ પાણીના ભાવે આપી દેવી તે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો તરીકે હિતાવહ દેખાતું નથી અને હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટએ એક સેવાકીય પ્રવૃતિ કરતું ટ્રસ્ટ છે તો વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખ હોસ્પિટલ, બંધુસમાજ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃતિ હેતુથી કાર્યરત છે. અને વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની છેલ્લે મળેલ સામાન્ય સભામાં આ મુદાનો એજન્ડા ચર્ચા-વિચારણા કરવા બાબતે લેવામાં આવેલ છે. ત્યારે માત્ર પ્રમુખના કબૂલાતનામાં પ્રમાણે આ જમીન હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટને પોતાના આર્થિક ઉપાર્જન માટે આપવીએ યોગ્ય જણાતી નથી તેવું રજૂઆતમાં લખવામાં આવેલ છે.






Latest News