Morbi Today
મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતિને અનુલક્ષીને સંઘ કાર્યાલય કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રમાં કાર્યરત પત્રકારબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા ભારતી ગુજરાત તથા સૌરાષ્ટ્રના કિશોરભાઈ મુંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ રાષ્ટ્ર તથા સમાજ જીવનની ઉન્નતિ માટે પત્રકારબંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતની સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ વિડજા તથા ચિરાગભાઈ ભોરણીયાએ કર્યું હતું.









