મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા
માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ
SHARE
માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરે થોડા સમય પહેલા કેમ્પ યોજાયો હતો જેના દર્દીઓને મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરાયું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ સાધનો આપવામાં આવશે
માળીયાના વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદીર ખાતે તા.૧૭/૫/૨૩ થી દર્દીઓ માટે મેડિકલ સાધનો નિશુલ્ક ભાડેથી આપવાનુ શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં દર્દીની જરૂરિયાત અનુસાર પલંગ, ખુરશી, વ્હીલચેર, વોકર સહિતના જરૂરી સાધનો રાખવામા આવ્યા છે અને દર્દીની જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે અને સર્વ જ્ઞાતીજનોને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને જે દર્દી માટે સાધનો લઈ જવામાં આવ્યા હોય તેને સારું થઈ જાય અથવા તો સાધનની જરૂર ન હોય તો તેને પાછા આપી જવાના રહેશે