મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા


SHARE













મોરબી જીલ્લામાં બે હજારની નોટ લેવાની ના પડે તેની સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો: લાલજીભાઈ મહેતા

પ્રજા પાસેથી રૂપીયા બે હજારની નોટ જે વ્યકિત, સંસ્થા કે અન્ય એજન્સી સ્વિકારવાની ના પાડી હોય તેની સામે રાજદ્રોહનો ગુન્હો નોંધવાની માંગ કરવામાં આવી છે અને આ મુદે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને સરકારનો આદેશ હોવા છતાં બે હજારની ચલણી નોટ લેવાની ના પાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે

ભારતીય રીઝર્વ બેન્કે રૂપીયા બે હજારની નોટ ચલણમાંથી નાબુદ કરેલ નથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વ્યવહારમાં ચાલૂ રહેશે અને ગ્રાહકને કોઈપણ જાતની ઓળખ આપ્યા વગર બેન્કો બદલી આપશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરેલ હોવા છતાં પેટ્રોલ પમ્પફાયનાન્સ કંપનીહોટલલોજ કે અન્ય નાના મોટા વ્યાપારીઓ બે હજારની નોટ લેવાની જાહેર જનતાને ના પાડી રહયા છે જે ગેરવ્યાજબી છે. રાષ્ટ્રનું ચલણ લેવાની ના પાડનાર વ્યકિત સામે રાષ્ટ્રદોહનો ગુન્હો બનેછે. જો અત્યારથી વ્યાપારીઓવ્યાપારી સંસ્થાઓ કે અન્ય કોઈપણ બે હજાર ની નોટ લેવાની ના પાડશે તો સમાજમાં ગભરાટ ફેલાશે અને તણાવ વધશે અને નોટબંધીના સમયે બેન્કોમાં જેમ લાઈન લાગતી હતી તેવી સ્થિીતીનું ઉભી થશે.

રીઝર્વ બેન્ક કહે છે કે ૨૦૦૦ની નોટ ચલણમાં ચાલુ છે તેમ છતાં તેને લેવાની ના પાડવામાં આવી રહેલ છે તો આવા તત્વો સામે કોઈપણ ગ્રાહકાની ફરીયાદ આવે તો ૨૦૦૦ની નોટ સ્વિકારવાની ના પાડનાર સામે રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરવા મોરબી જિલ્લાના પોલીસ વડાને લાલજીભાઈ મહેતા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, તમામ પેટ્રોલ પમ્પફાયનાન્સ કંપનીઓ તેમજ અન્ય તમામ વ્યાપારી સંસ્થાઓમાં આ બાબતે તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરીને આ અંગેની ઓઈલ કંપનીઓ અને પુરવઠા વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે અને તેના અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના આપીને કડક પગલા ભરવામાં આવે તેવી પણ માગ કરેલ છે






Latest News