તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE











વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિત્યક્રમ મુજબ સાંજે ૮-૦૦ વાગ્યે સંધ્યા મહા આરતીમા ભૂદેવો સાથે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહે છે. દરરોજ સાંજે મહા આરતી બાદ ગણેશદાદાને  પ્રિય પ્રસાદ એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાથે રાસ ગરબા પણ યોજાઇ છે

શહેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાકાનેર રાજવી પરિવારના  મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોના ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ભૂદેવો હાજર રહ્યા હતા. અને મહાઆરતી બાદ ઉપસ્થિત મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા તથા ઉપસ્થિત સંતો મહંતો તથા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સાલ તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર,યોગેશ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News