માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE

















વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News