મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી


SHARE













મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી
વાંકાનેરમાં આવતા રામપરા અભ્યારણમાં થોડા સમય પહેલા ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જે ઘટનામાં ત્રણેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે. વન વિભાગ દ્વારા જેલ હવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે

રામપરા અભ્યારણમાં ગત તા.૪ ના રોજ વિભા નવઘણ, જાલા સિંધા, ઘેલા ખેંગાર નામના ત્રણ શખ્સોવનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જેથી વનકર્મીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડીને મોરબી સબ જેલ હવાલે કર્યા હતા જો કે, વન વિભાગ દ્વારા આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુન્હાની તપાસમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા, ફોરેસ્ટ ઓફિસર પી.પી.નરોડીયા સહિતનો સ્ટાફ કરે છે






Latest News