મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ


SHARE







ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર ચડાવવામાં આવતા તે તસ્વીર વાયરલ થઈ હતી અને ખાસ કરીને વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ તેના ફેસબુક ઉપર પણ તે ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે આપણાં આદરણીય વડાપ્રધાન હજુ જીવે છે જેથી હોબાળો મચી ગયો હતો અને જીતુભાઈએ મૂકેલા ફોટાના કેપ્શનનો હાલમાં વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવેલ છે અને તેમણે કહ્યું છે કે, ગુલાબ પ્રેમનું પ્રતિક છે વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા આ બાબતે વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે ગુલાબ અને સુખડમાં ઘણો ફર્ક છે, શાસ્ત્ર વાચન જરૂરી છે, માત્ર રાજકારણ કરવું યોગ્ય નથી, ગુલાબ પ્રેમનું પ્રતીક છે અને આથી વડાપ્રધાનની તસ્વીરને હાર પહેરાવામાં આવ્યો હતો.






Latest News