માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર


SHARE













વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર

ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ, પી.જી.વી.સી.એલ. તથા મિડીયા કર્મીઓનો વાવાઝોડાં સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ સેવાની તક આપવા બદલ તંત્રનો ખાસ આભાર માન્યો હતો

વાવાઝોડાંએ કહેર વર્તાવ્યો હતો ત્યારે મોરબી જીલ્લામાં પણ તેની ગંભીર અસરોનુ અનુમાન હતુ પરંતુ રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહિવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ મિડીયા કર્મીઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબીમાં જાનહાની ટળી હતી તેમજ ઓછાંમાં ઓછું નુકસાન થયુ હતુ. તે બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ તમામને ઉમદા કામગીરી બદલ અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી છે.તે ઉપરાંત સ્થળાંતરિતો માટે ભોજન વ્યવસ્થા કરવાની ઉમદા તક શ્રી જલારામ પ્રાર્થના મંદિરને આપવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે મંત્રી, ધારાસભ્ય, કલેક્ટર તેમજ વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.મોરબી-માળીયાના ધારસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ નાયબ કલેક્ટરએ જલારામ મંદિરની રબરૂ મુલાકાત લઈ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી તેમજ મંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથે ટેલિફોનીક વાત-ચીત કરી કામગીરીને બિરદાવી હતી.જીવના જોખમે વાવાઝોડામાં વિજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે કાર્ય કરતા પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ તેમજ હરહંમેશની જેમ નિડરતાથી વાવાઝોડાં સામે બાથ ભીડી લોકો સુધી સત્ય ખબર પહોંચાડનાર તમામ મિડીયા કર્મીઓને મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News