ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર થયા બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર થયા બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું

મોરબીમાં થોડા સમય પહેલા સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી બે ટીમે જાહેર કરવામાં આવી હતી અને ત્યાર બાદ ચોમેર તેની ચર્ચા થવા લાગી હતી અને બ્રહ્મ સમાજમાં ઊભા બે ફાડિયા જેવો ઘાટ સર્જાયો હતો ત્યારે સમાજના લોકોની લાગણી અને સલાહને અનુસરીને અનિલભાઈ મહેતા તથા સમાજના બીજા આગેવાનોએ સક્રિય પ્રયાસ કર્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજની જે બે ટીમને જાહેર કરવામાં આવી હતી તેના પ્રમુખ સાથે પહેલા ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ બંને આખી ટીમની હાજરીમાં પરશુરામ ધામ ખાતે બેઠક રાખવામા આવી હતી જેમાં સર્વાનુમતે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા અધ્યક્ષ તરીકે પ્રશાંતભાઈ મહેતાનું નામ રાખવામા આવેલ છે અને બંને ટીમમાંથી જે ચાર મહામંત્રી જાહેર થાય હતા તે મીલેશભાઈ જોશી, કમલભાઈ દવે, અમુલભાઈ જોશી અને કેયુરભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે તેમજ ઉપપ્રમુખ સહિતના જે હોદેદારો લેવામાં આવેલ છે તેના નામ પણ યથાવત રખવાનું નક્કી કરવામાં આવ્યું છે આમ સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર કરવામાં આવ્યા બાદ હાલમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પુર્વ પ્રમુખ ડો. બી.કે. લહેરુ તથા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ કિશોરભાઈ શુક્લ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News