ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે


SHARE











વાંકાનેરમાં કાલે નવનિયુક્ત સાંસદ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને વધાવવા કાલેભવ્ય સરઘસ નીકળશે

રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલાની નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે ગઇકાલે વાંકાનેરમાં ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ, વિવિધ સમાજ , વિવિધ વેપારી એસોસિયેશન , જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ , વાંકાનેર શહેર તાલુકાના પ્રમુખ , મહામંત્રી વિવિધ સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નિકુંજભાઈ કોટક સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સાંસદ રાજવીને વધાવવા આયોજન કરવામાં આવ્યું હતું કાલે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે જ્યા વિશાળ સભા યોજાશે. અને શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક , ગ્રીન ચોક , મેઇન બજાર, ચાવડી ચોક થઈ માર્કેટ ચોકમાથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે. સ્ટેચ્યુ ખાતે સભા યોજાશે જ્યા સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું વિવિધ સંગઠન, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે તેમ કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.






Latest News