મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી


SHARE











હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી

હળવદની સરા ચોકડી પાસે વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપના કાર્યાલય નીચે પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદના સરા રોડ ઉપર આઇટીઆઇ સામેના ભાગમાં ગિરનારીનગરમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ દલવાડીએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૮૯૦ વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપ કાર્યાલય નીચે પાર્ક કર્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ગયેલ હોય ચાલીસ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે તે મુજબની રામજીભાઈ દલવાડીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા દશરથબેન જોરૂભા ઝાલા નામના ૫૭ વર્ષીય આધેડ મહિલા મોરબીમાં શનાળા રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇકમાંથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા દશરથબેનને અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર ફિલ્ટર હાઉસ નજીક રહેતા રણજીત લાલજીભાઈ ગુંદરિયા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક ફિલ્ટર હાઉસ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા વેલજીભાઈ મોહનભાઈ સારલા નામના ૬૮ વર્ષીય વૃદ્ધને તેમના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજા થતા વેલજીભાઈ સારલાને પણ સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.






Latest News