મોરબીમાં દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ-બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં
SHARE
મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં
મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જે દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને આ કેસમાં સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ. કે. વોરાની નિમણૂક કરી હતી જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ સ્પેશિયલ પીપી એટ્લે કે સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામૂં આપી દીધું છે.
મોરબીમાં તા.૩૦/૮/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપી હાલમાં જમીન મુક્ત થયા છે અને પાંચ આરોપી હજુ પણ જેલમાં જ છે જો કે, આ કેસ માટે સરકારે ગત ૧૦/૧૨/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી જો કે, વિકટ વડાપ્રધાન સુધી તાજેતરમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં સ્પેશિયલ પીપી મુદતે હાજર રહેતા નહીં તેવામાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરીને હાલમાં સ્પેશિયલ પીપી એસ.કે. વોરાએ રાજીનામું આપી દીધેલ છે જે હાલમાં ચર્ચાનું વિષય બનેલ છે