મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં


SHARE







મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જે દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને આ કેસમાં સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ. કે. વોરાની નિમણૂક કરી હતી જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ સ્પેશિયલ પીપી એટ્લે કે સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામૂં આપી દીધું છે.
મોરબીમાં તા.૩૦/૮/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપી હાલમાં જમીન મુક્ત થયા છે અને પાંચ આરોપી હજુ પણ જેલમાં જ છે જો કે, આ કેસ માટે સરકારે ગત ૧૦/૧૨/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી જો કે, વિકટ વડાપ્રધાન સુધી તાજેતરમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં સ્પેશિયલ પીપી મુદતે હાજર રહેતા નહીં તેવામાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરીને હાલમાં સ્પેશિયલ પીપી એસ.કે. વોરાએ રાજીનામું આપી દીધેલ છે જે હાલમાં ચર્ચાનું વિષય બનેલ છે






Latest News