મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE















ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર પાસેથી ડબલ સવારી બાઈક કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે ખૂંટિયો ઉતર્યો હતો અને ખૂંટીયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈકની પાછળના ભાગે બેઠેલા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને બાઈક ચાલક યુવાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા માંજરીયાભાઇ ઉર્ફે સુનિલભાઈ રત્નાભાઇ વસુનિયા (૪૫) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાગળાભાઈ ઉર્ફે રમણભાઈ વીરસીંગભાઇ બામણીયા (૨૯) રહે. મૂળ એમપી હાલ રહે જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર તરફ જવાના કાચા રસ્તા ઉપરથી તે પાગળાભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક નંબર જીજે ૧ સીડી ૬૭૭૨ ની આડે ખૂંટિયો ઉતર્યો હતો જેથી કરીને ખૂંટિયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક પાગળાભાઈ ઉર્ફે રમણભાઈને માથામાં અને શરીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જોકે, બાઈકમાં પાછળના ભાગે બેઠેલ ફરિયાદી માંન્જરીયાભાઈ ઉર્ફે સુનિલભાઈને માથામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News