મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ: વીસેરા લેવાયા


SHARE















ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ: વીસેરા લેવાયા

ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોકળા પાસે કોથળામાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જોકે ફોરેન્સિક રિપોર્ટમાં મરણનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હોવાથી મૃતક મહિલાના મરણના ચોક્કસ કારણને જાણવા માટે વિસેરા લેવામાં આવેલ છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ વાલજીભાઈ બોડા જાતે પટેલ રહે. મોરબી વાળાના ખેતરના સેઢા પાસે વોકડામાં કોથળાની અંદરથી મહિલાની લાશ મળી આવી હતી જેથી આ બનાવની દલસુખભાઈ બોડાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ સહિતનો કાફલો ત્યાં આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી મહિલાની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે લઈ ગયા હતા જોકે ફોરેન્સિક પીએમમાં મરણ જનાર મહિલાના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેના શરીર ઉપર કોઈ બાહ્ય ઇજાના નિશાન જોવા મળતા નથી જેથી મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે જેના આધારે આગળની તપાસ ચાલી રહી છે અને બીજી બાજુ મૃતક મહિલાની ઓળખ હજી સુધી થઈ ન હોવાથી ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાધલ અને તેની ટીમ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ કરવામાં આવી રહી છે

વાંકાનેર જુગાર

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ શાંતિનગર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી મયુરભાઈ હેમંતભાઈ મકવાણા (૨૬), અકબરભાઈ આમદભાઈ જીંગીયા (૨૮) અને મયુરભાઈ હેમંતભાઈ સોલંકી (૩૧) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧,૨૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News