મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં ૨૨૨ કામોને મંજૂર કરવામાં આવ્યા: પ્રમુખ


SHARE







મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં ૨૨૨ કામોને મંજૂર કરવામાં આવ્યા: પ્રમુખ

મોરબી જિલ્લાના સભા ખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં છેલ્લા બે વર્ષથી રોકાયેલા કામોને વેગ આપવામાં આવ્યો હતો અને આ બેઠકમાં કુલ મળીને 222 કામોને મંજૂર કરવામાં આવેલ છે તેની સાથોસાથ જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા પંચાયતના નવા સભા ખાંડનું આજે પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપપ્રમુખ, ચેરમેનો સહિતના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તમામ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા ત્યારે જુદા જુદા એન્જડામાં રેતી રોયલ્ટી, ૧૫ માં નાણાંપંચના કામો સહિતના તમામ એન્જડાને બહાલી આપવામાં આવી હતી.

ત્યાર બાદ ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા તેમના આવ્યા બાદ જીલ્લામાં કરવામાં આવેલ કામોની માહિતી આપવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ૧૫ માં નાણાંપંચના કામો છેલ્લા લગભગ બે વર્ષથી પેન્ડિંગ હતા જેમાંથી ઘણા કામોને કરવામાં આવેલ છે અને વિકાસ કામોમાં જે કોઈ પણ દબાણ નડતર રૂપ હશે તેને હટાવવામાં આસવ્હે વધુમાં તેને કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં સાત  કરોડના કામો પૂરા કરવામાં આવેલ છે અને આ બેઠકમાં ૫.૫૦ કરોડના ખર્ચે ૧૯૦ જેટલા સૈદ્ધાંતિક કામો, ૬૬.૯૧ લાખના ખર્ચે ૧૬ હેતુફેરના કામો તેમજ ૬૩.૫૦ લાખના ખર્ચે ૧૬ વહીવટી કામોને મંજૂર કરવામાં આવ્યા છે 






Latest News