માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન


SHARE













માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન

માળીયા મિયાણાના ખીરઈ(પંચવટી) ગામની ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે  પાણી ભરાઇ ગયેલ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરઈ(પંચવટી) ગામે  સરકાર દ્વારા એક રોડ બનાવવામાં આવેલ છે આ રોડના પલાનીંગ  તથા કામમાં અક્ષમ્ય બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે જયારે પણ વરસાદ થાય છે. ત્યારે રોડની સાઈડ  ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેથી તે ખાતેદારોનો  પાક બળી જવાથી તેઓએને મોટું આર્થીક નુકશાન થાય છે. આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે આ બાબતે ગયા વર્ષે અધિકારીને રૂબરૂ મુલાકાત પણ કરાવવામાં  આવેલ હતી. તેઓએ હૈયા ધારણા પણ આપેલ હતી કે, હવેથી તમારો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ  થઇ જશે પરંતુ આ બાબતે કોઈ જ કાયર્વાહી ન થતા  આ વર્ષે પણ ખેતરો માં પાણી ભરાયેલ  છે જેથી કરીને તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે અને જો કોઈ કામ નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થીક નુકશાન જશે અને ના છુટકે કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News