મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન


SHARE













માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન

માળીયા મિયાણાના ખીરઈ(પંચવટી) ગામની ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે  પાણી ભરાઇ ગયેલ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરઈ(પંચવટી) ગામે  સરકાર દ્વારા એક રોડ બનાવવામાં આવેલ છે આ રોડના પલાનીંગ  તથા કામમાં અક્ષમ્ય બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે જયારે પણ વરસાદ થાય છે. ત્યારે રોડની સાઈડ  ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેથી તે ખાતેદારોનો  પાક બળી જવાથી તેઓએને મોટું આર્થીક નુકશાન થાય છે. આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે આ બાબતે ગયા વર્ષે અધિકારીને રૂબરૂ મુલાકાત પણ કરાવવામાં  આવેલ હતી. તેઓએ હૈયા ધારણા પણ આપેલ હતી કે, હવેથી તમારો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ  થઇ જશે પરંતુ આ બાબતે કોઈ જ કાયર્વાહી ન થતા  આ વર્ષે પણ ખેતરો માં પાણી ભરાયેલ  છે જેથી કરીને તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે અને જો કોઈ કામ નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થીક નુકશાન જશે અને ના છુટકે કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News