મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે
મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં અવાયું છે અને આગમી તા ૩૦ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મોરબીમાં આવેલ રામાનંદ ભવન રામઘાટ ખાતે આ કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરુધ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપરના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના આગેવાનો હાજર રહેશે વધુમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અગ્રાવત અને મંત્રી હિતેશભાઈ રામાવતે જણાવ્યુ છે કે, જે વિદ્યાર્થીઓના સર્ટીફીકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ વાલીની સાથે સવારે ૮:૩૦ કલાકે રામાનંદ ભવન ખાતે આવી જવાનું છે