ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો


SHARE













ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો

ટંકારામાં મહોરમના તહેવાર નિમિત્તે તાજીયાના ઝુલુસના મુખ્ય માર્ગ ઉપર મુમના શેરીમાં ત્રણ ચાર દિવસથી ગાય બીમાર હાલતમાં હતી અને તેના પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી. જેની જાણ થતાં સામાજિક કાર્યકર અને ઉપસરપંચ પ્રતિનિધી તેમજ જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા ત્યાં આવ્યા હતા અને તાત્કાલિક ૧૯૬૨ ઇમરજન્સી "કરુણા એનિમલ કેર"ને જાણ કરી હતી અને પાંજરાપોળના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી, પપ્પુભાઈ, અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી બીમાર ગાયને બેઠી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. "ફ્રી એનિમલ કેર" દ્વારા બિમાર ગાયને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. આ તકે ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રોની કામગીરીને બિરદાવી હતી






Latest News