આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો


SHARE













ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો

ટંકારામાં મહોરમના તહેવાર નિમિત્તે તાજીયાના ઝુલુસના મુખ્ય માર્ગ ઉપર મુમના શેરીમાં ત્રણ ચાર દિવસથી ગાય બીમાર હાલતમાં હતી અને તેના પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી. જેની જાણ થતાં સામાજિક કાર્યકર અને ઉપસરપંચ પ્રતિનિધી તેમજ જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા ત્યાં આવ્યા હતા અને તાત્કાલિક ૧૯૬૨ ઇમરજન્સી "કરુણા એનિમલ કેર"ને જાણ કરી હતી અને પાંજરાપોળના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી, પપ્પુભાઈ, અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી બીમાર ગાયને બેઠી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. "ફ્રી એનિમલ કેર" દ્વારા બિમાર ગાયને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. આ તકે ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રોની કામગીરીને બિરદાવી હતી






Latest News