હળવદની ખનીજ ચોરીના ગુનામાં મોરબીના રવાપર ગામે રહેતો શખ્સ પકડાયો
મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ
SHARE
મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ
મોરબી નજીકના લજાઈ પાસે આવેલ નમકીનની ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ગટરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તે કેનાલમાં પહોંચ્યુ છે અને હવામાં પણ પ્રદુષણ ફેલાઇ છે જેથી આ કંપનીનું પ્રદૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબી નજીકના લજાઈ ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગામની બાજુમાં આવેલ નમકીન બનાવતી ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેઠીઉ કરીને હવા અને પાણી બને ખરાબ થાય છે અને ફેક્ટરીની આજુ બાજુમાં રહેતા લોકોને કાયમી ગંધ પણ સહન કરવી પડે છે અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી થાય છે. આ સમસ્યા માટે ગ્રામજનોએ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગ્રામજનોએ તકલીફ દૂર કરવા માટે હલકા કલેક્ટરને રજૂઆત કરેલ છે અને ઘોરબેદરકારી રાખતા ફેક્ટરી વાળાની સામે પગલાં લેવાની માંગ કરી છે