મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ કુહાડી ઝીકતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબી જીલ્લામાં પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ કુહાડી ઝીકતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી જીલ્લામાં પતિ બીજી મહિલા સાથે વાત કરે છે તેવી શંકા રાખીને તેની જ પત્નીએ તેના ઉપર કુહાડી વડે જીવ લેણ હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને મૃતક યુવાનના પિતાએ તેની પુત્રવધૂ સામે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશને જે ફરિયાદ નોંધાવી હતી તેમાં હવે હત્યાનો કલમનો ઉમેરો કરાશે અને પોલીસે આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦) એ તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર રહે. હાલ શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટર વાળી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૦૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં તેનો દીકરો અને તેની પુત્રવધુ અંદર હતા દરમિયાન ફરિયાદીનો દીકરો અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે તેવી શંકા કરીને ફરિયાદીની પુત્રવધુએ ફરિયાદીના દીકરા અર્જુન ઉપર કુહાડી વડે મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેથી ગંભીર ઇજા થઇ હોવાથી અર્જુનને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે અને હાલમાં પોલીસે ફરિયાદીની પુત્રવધુને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News