માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ


SHARE













વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે માલધારી સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અને સમાજનાં વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાતડીયા ગામે તા. 23 નાં રોજ સમગ્ર માલધારી સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાનાભાઈ - મોટાભાઈ ભરવાડ સમાજનાં બન્ને જુથ એકત્રિત થયા હતાં, અને સમાજનાં નાના મોટા પ્રશ્નો સૌ આગેવાનોએ સાથે બેસી હલ કર્યા હતાં, અને સૌ સાથે મળીને માલધારી સમાજનાં વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મચ્છુ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ એન. બાંભવા, અરજણભાઈ ડાભી, ગેલાભાઈ મુંધવા, મશરૂભાઈ સરૈયા, મશરૂભાઈ મુંધવા, સિંધાભાઈ ભૂવા, નાનાભાઈનાં અગ્રણી નાજાભાઈ, ગગજી ભાઈ, વિઠ્ઠલભાઈ, વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજી ભાઈ મેર, સહિત ગામેગામનાં આગેવાનોએ સાથે બેસી માલધારી સમાજનાં વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.




Latest News