મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ


SHARE













વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે માલધારી સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અને સમાજનાં વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાતડીયા ગામે તા. 23 નાં રોજ સમગ્ર માલધારી સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાનાભાઈ - મોટાભાઈ ભરવાડ સમાજનાં બન્ને જુથ એકત્રિત થયા હતાં, અને સમાજનાં નાના મોટા પ્રશ્નો સૌ આગેવાનોએ સાથે બેસી હલ કર્યા હતાં, અને સૌ સાથે મળીને માલધારી સમાજનાં વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મચ્છુ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ એન. બાંભવા, અરજણભાઈ ડાભી, ગેલાભાઈ મુંધવા, મશરૂભાઈ સરૈયા, મશરૂભાઈ મુંધવા, સિંધાભાઈ ભૂવા, નાનાભાઈનાં અગ્રણી નાજાભાઈ, ગગજી ભાઈ, વિઠ્ઠલભાઈ, વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજી ભાઈ મેર, સહિત ગામેગામનાં આગેવાનોએ સાથે બેસી માલધારી સમાજનાં વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.






Latest News