મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલતા કાલે ડીઇઓ કચેરીએ મૌન ધરણા
મોરબીના શખ્સની કેશોદ પોલીસ દ્વારા અપહરણ સહિતના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીના શખ્સની કેશોદ પોલીસ દ્વારા અપહરણ સહિતના ગુનામાં ધરપકડ
મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને વારંવાર પોલીસ ચોપજે ચડી ચૂકેલા ઈસમની હાલમાં જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ સહીતની કલમોના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને છાશવારે મારામારી અને દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપજે ચડી ચૂકેલા સાગર ઉર્ફે ચોટી નવઘણ ભરવાડ (ઉમર ૨૪) ની કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ, બળાત્કાર અને એસ્ટ્રોસિટીના ગુનામાં જુનાગઢના ડીવાયએસપી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે બનાવ બાદ મોરબી રોકાયો હોય સાગર ભરવાડને મોરબી લાવીને તેનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું
યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે ભડીયાદ વિસ્તારમાં રામાપીરના ઢોળા નજીક રહેતા પરિવારની પૂજાબેન ભરતભાઈ ઝિંઝુવાડીયા નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફિનાઇલ પી ગઇ હતી જેથી તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
વાંકાનેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના ૨૦ વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સિવિલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને મારામારીના બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.