મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ
મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા
SHARE
મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા
આજથી શ્રાવણ માસ શરુ થાય છે જો કે, હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવ મંદિરોમાં ભંડારા, પુજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટ્યા હતા
શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટ્યા છે અને મંદિરમાં પુજન અર્ચન, આરતી, ભંડારા વિગેરે કાર્યક્રમો શરૂ થઈ ગયેલ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે મોરબીમાં અગ્નેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નીલકંઠ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્ય શરૂ થઈ ગયેલ છે