માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત


SHARE













વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલે લઇ ગયા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ. ૧૬) નામની સગીરાએ તા ૨૪ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસનીસ મણીભાઇ ગામેતી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા ધો ૧૧ સાયન્સમાં હતી અને તેને માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેણે અંતિમ પગલુ ભરી લીધેલ છે




Latest News