મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ કાર્યલયે પંડિત દિનદયાલની જન્મજયંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE











વાંકાનેરમાં ભાજપ કાર્યલયે પંડિત દિનદયાલની જન્મજયંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મદિવસ ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ભાજપ કાર્યાલયે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મ જયંતિ નિમિત્તે તેમના ફોટા ઉપર વાંકાનેર શહેર ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી પંડિત દિન દયાલ ઉપાધ્યાય જેને ભાજપની સ્થાપના કરી હતી આ તકે વરિષ્ઠ નાગરિકોનુ સન્માન એવા મુળજીભાઇ ગેડીયા જે સેવા કેન્દ્ર ચલાવે છે અને આવાસ યોજના, પેન્શન યોજના, વિધવા સહાય ૧૨૧ સરકારી યોજનાના ફોર્મ ભરીને સેવા ચલાવે છે તેમનું સન્માન કરીને સમાજમાં સારો સંદેશ આપેલ હતો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમ માટે નેશનલ લેવલે જેને વાંકાનેર શહેરનું નામ ઉજવળ કર્યું એવા નૈમિષભાઇ ભીખાભાઇ ખાંડેખા કબડીમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલ નેશનલ લેવલે રમેલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે આનંદભાઈ જયેશભાઈ ધરોડીયાએ પણ રાજ્ય કક્ષાએ કબડીસ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ વાંકાનેરની જીવનદાત્રી માતા એવી મચ્છુ માતા નદીમાં સફાઈ અભિયાન કરીને હતી આજના દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમ વાંકાનેર શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન વિશે પાર્ટીના કાર્યકરોએ ઊંડાણપૂર્વક માહિતી મળે તે માટે મોરબી જિલ્લાના મંત્રી એડવોકેટ નિકુંજભાઈ કોટક દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીના સભ્યોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન નિષિતભાઈ જોશીએ કર્યું હતું વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવીએ દરેક કાર્યકર્તાઓ પ્રત્યે હૃદયની લાગણી વ્યક્ત કરી દરેકનો આભાર માન્યો હતો.તેમ મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઇ ગેડીયા અને વિનોદભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.

 






Latest News