મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી


SHARE















મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી યુનિવર્સિટી એનએનએસ વિભાગ સંલગ્ન એનએસએસ યુનિટ કાર્યરત છે.યુનિટ દ્વારા સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થી ઘડતરની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ થતી રહી છે.ગયા વર્ષે ખાખરાળા ગામે થયેલ કેમ્પ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્ય સ્તરના એનએસએસના કેમ્પ માટે ૧૮ ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાઈ ગયો.આ કેમ્પમાં શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના એનએસએસ યુનિટની બે સ્વયંસેવિકા બહેનોને પસંદ કરીને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ.આ બંને સ્વયંસેવિકાઓ ખુશીબેન મનોજભાઈ પરમાર અને માનસી જીતેન્દ્રભાઈ છત્રોલાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી થયેલ.આ બંને સ્વયંસેવિકાઓ હવે અમદાવાદ ખાતે આગામી ૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાજ્ય સ્તરના કેમ્પમાં સામેલ થશે.બંને સ્વયંસેવિકાઓને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.આર.કે.વારોતારીયાએ તથા કે.આર.દંગીએ કોલેજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવેલ છે.






Latest News