મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી


SHARE













મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી યુનિવર્સિટી એનએનએસ વિભાગ સંલગ્ન એનએસએસ યુનિટ કાર્યરત છે.યુનિટ દ્વારા સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થી ઘડતરની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ થતી રહી છે.ગયા વર્ષે ખાખરાળા ગામે થયેલ કેમ્પ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્ય સ્તરના એનએસએસના કેમ્પ માટે ૧૮ ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાઈ ગયો.આ કેમ્પમાં શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના એનએસએસ યુનિટની બે સ્વયંસેવિકા બહેનોને પસંદ કરીને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ.આ બંને સ્વયંસેવિકાઓ ખુશીબેન મનોજભાઈ પરમાર અને માનસી જીતેન્દ્રભાઈ છત્રોલાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી થયેલ.આ બંને સ્વયંસેવિકાઓ હવે અમદાવાદ ખાતે આગામી ૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાજ્ય સ્તરના કેમ્પમાં સામેલ થશે.બંને સ્વયંસેવિકાઓને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.આર.કે.વારોતારીયાએ તથા કે.આર.દંગીએ કોલેજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવેલ છે.






Latest News