મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી


SHARE







મોરબી : આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાના એનએસએસ કેમ્પ માટે પસંદગી

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી યુનિવર્સિટી એનએનએસ વિભાગ સંલગ્ન એનએસએસ યુનિટ કાર્યરત છે.યુનિટ દ્વારા સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થી ઘડતરની પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ થતી રહી છે.ગયા વર્ષે ખાખરાળા ગામે થયેલ કેમ્પ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્ય સ્તરના એનએસએસના કેમ્પ માટે ૧૮ ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાઈ ગયો.આ કેમ્પમાં શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના એનએસએસ યુનિટની બે સ્વયંસેવિકા બહેનોને પસંદ કરીને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ.આ બંને સ્વયંસેવિકાઓ ખુશીબેન મનોજભાઈ પરમાર અને માનસી જીતેન્દ્રભાઈ છત્રોલાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી થયેલ.આ બંને સ્વયંસેવિકાઓ હવે અમદાવાદ ખાતે આગામી ૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાજ્ય સ્તરના કેમ્પમાં સામેલ થશે.બંને સ્વયંસેવિકાઓને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.આર.કે.વારોતારીયાએ તથા કે.આર.દંગીએ કોલેજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવેલ છે.






Latest News